Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વ્યાજની બાકી રકમ તા.૨૫મી જુલાઈ સુધીમાં એકસાથે ભરપાઇ કરે તો તેવા વેપારીને વેરા સમાધાન યોજનાનો લાભ મળવાપાત્ર

વેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ વેપારીઓને 25મી જુલાઈ સુધીમાં એકસાથે રકમ ભરપાઈ કરશે તો મળશે લાભ

ગાંધીનગર :  વેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ તા.૩૧.૦૮.૨૦૨૧ સુધીમાં ભરવાપાત્ર થતી વેરાની બધી જ રકમ યોજનાની અંતિમ તારીખ સુધીમાં ભરપાઇ કરેલ હોય પરંતુ માત્ર ભરવાપાત્ર વ્યાજની રકમ અંશતઃ કે સંપૂર્ણ ભરવાની બાકી હોય તેવા કિસ્સામાં જ જો વેપારી તેવી વ્યાજની બાકી રકમ હવે આગામી બે માસમાં જ એટલે કે, તા.૨૫.૦૭.૨૦૨૨ સુધીમાં એકસાથે ભરપાઇ કરે તો તેને વેરા સમાધાન યોજના-૨૦૧૯નો લાભ મળવાપાત્ર થશે એમ નાણાં વિભાગની યાદીમા જણાવાયું છે

(12:23 am IST)