Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પ.પૂ.મેઘરક્ષિતસાગરજી મ.સા. વાપી પાસે અકસ્માતમાં કાળધર્મ પામ્યા

અચલગચ્છના યુવા મુનિરાજ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ર૬ :અચલગચ્છના યુવા મુનિરાજ પ.પૂ. મેઘરક્ષિતસાગરજી મ.સા. આજે સવારે વાપી અને ભીલાડની વચ્ચે અકસ્માતમાં કાળધર્મ પામેલ છે. પૂ. મુનિશ્રીના અકસ્માતના સમાચાર મળતા વાપી સંઘના આગેવાનોઍ હોસ્પિટલમાં લઇ ગયા હતાં.

પ.પૂ. મુનિરાજ શ્રી મેઘરક્ષિતસાગરજી મ. સા. દીક્ષા તિથી કારતક વદ ૧૦, વિ. સં. ર૦૬૪ છે. સંયમ જીવનના ૧૬ માં વર્ષમાં આજે તા. ર૬ શુક્રવારે કાળધર્મ પામેલ છે. પૂ. શ્રીનો જન્મ હેમલતાબેન મોરારજી દેઢીયાની કુખે ગઢશીશા ખાતે થયો હતો. તેમની દીક્ષા ઘાટકોપર ખાતે ૧૬ વર્ષ પહેલાં થઇ હતી. પૂ. શ્રીના ગુરૂ પ.પૂ. મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મ. સા. તથા દીક્ષા દાતા પ. પૂ. મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મ. સા. છે. (પ-૧૩)

 

(10:31 am IST)