Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભૂપેન્દ્રભાઈ પટેલ કાલથી દિલ્હીમાં : નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તેમજ નવા સંસદ ભવનના લોકાર્પણમા ઉપસ્થિત રહેશે

જો કે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી કાર્યાલય ખાતે આવનાર મુલાકાતીઓને રાબેતા મુજબ મળશે

રાજકોટ તા.૨૬ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૭ અને ૨૮ મે, શનિવાર અને રવિવારના રોજ દિલ્હીમાં નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તેમજ નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૯ મે સોમવારના દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી કાર્યાલય ખાતે આવનાર મુલાકાતીઓને રાબેતા મુજબ મળશે.

(11:04 am IST)