Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજ્યમાં કોરોના ખત્મ :છેલ્લા 24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા :વધુ 14 દર્દીઓ સ્વસ્થ થયા

અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ, અને સુરતમાં 1 કેસ નોંધાયો :રાજ્યમાં 77 એક્ટિવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો હતો, અને  કોરોનાએ ફરી સ્પીડ પકડી હતી જોકે હવે રોજ બરોજ કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે, આજે વધુ 14 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,80.122 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

 આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,079 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.14 છે

   ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 77 થયા છે. જેમાંથી 1 દર્દી વેન્ટીલેટર પર છે, જયારે 76 દર્દીઓ સ્ટેબલ છે 

  રાજ્યમાં આજે નવા 7 કેસ નોંધાયા છે,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ, અને સુરતમાં 1 કેસ નોંધાયો છે

 

(7:06 pm IST)