Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

સુરતના સોદાગરવાડ ખાતે એંગ્લો ઊર્દુ સ્કૂલ સામે આવેલી દર્શગા મુલ્લા મસ્જીદમાં ચાલતા મદ્રેસામાં અચાનક આગ ભભૂકી ઉઠી : અફરાતફરીનો માહોલ સર્જાયો : સદનસીબે જાનહાની નથી

આજે 10:24 કલાકે અચાનક આગ લાગી હતી: ત્રણ માલના મદ્રેસાના ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગતા જ ભાગદોડ મચી ગઈ હતી: ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત આઠથી દસ લોકોને બહાર નીકાળ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરત : સુરતના સોદાગરવાડ ખાતે એંગ્લો ઊર્દુ સ્કૂલ સામે આવેલી દર્શગા મુલ્લા મસ્જીદમાં ચાલતા મદ્રેસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે જાનહાની ટળી હતી

શહેરના સોદાગરવાડ ખાતે એંગ્લો ઊર્દુ સ્કૂલ સામે આવેલી દર્શગા મુલ્લા મસ્જીદમાં ચાલતા મદ્રેસામાં આજે 10:24 કલાકે અચાનક આગ લાગી હતી. ત્રણ માલના મદ્રેસાના ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગતા જ ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત આઠથી દસ લોકોને બહાર નીકાળ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મદ્રેસામાં બે પાળીમાં 300 જેટલા બાળકો ભણે છે. જો કે સદનસીબે આજે રવિવાર હોવાથી બાળકો નહોતા.

(4:57 pm IST)