Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ગરુડેશ્વર તાલુકાના માંકડખાડા ગામે ભોજન કરતી મહિલા પર વીજળી પડતાં મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંકડખાડા ગામની મહિલા પર વીજળી પડતાં તેમનું મોત થયું હતું
પ્રાપ્ત માહિતી મુજબ સુનિતાબેન મોગીયાભાઇ વસાવા( ઉં.વ.૨૭ ) ( રહે.માંકડખાડા ,શીંધીપાણી ફળિયુ,તા.ગરૂડેશ્વર જી.નર્મદા)  પોતાના ઘરે મહેમાનો માટે જમવાનુ બનાવેલ હોય પરંતુ પોતાને ભુખ લાગતા તે એકલી જ ભોજન જમવા બેઠેલ હતી તે વખતે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતો હતો તે વખતે અચાનક સુનિતા બેન ઉપર વીજળી પડતા શરીરે દાઝી જતા ઇજાઓ થતા સારવાર માટે સરકારી દવાખાના ગરૂડેશ્વર ખાતે લઇ આવતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:48 pm IST)