Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કે.એસ.બી વિદ્યાલય કરકથલ ખાતે ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી વિરમગામ તાલુકા દ્વારા ૨૦૦થી વધુ છોડ રોપવામાં આવ્યા

dir="ltr">(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વૃક્ષો ધરતીની શોભા છે, તો ચાલો વધુ વૃક્ષો વાવી ધરતીની શોભા વધારીએ. ભારતીય જનતા પાર્ટી વિરમગામ તાલુકા દ્વારા જિલ્લા મહામંત્રીની ઉપસ્થિતિમાં ૨૦૦ થી વધારે છોડના વૃક્ષારોપણનો કાર્યક્રમ કે.એસ.બી વિદ્યાલય, કરકથલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવદીપસિંહ ડોડીયા, કિરીટસિંહ ગોહીલ, શક્તિસિંહ ઝાલા , રમેશભાઇ કોળી પટેલ, મનજીભાઇ સેનવા, ધીરૂભાઇ ચૌહાણ, પ્રવિણસિંહ ગોહિલ, હરીભાઇ પરમાર, રાજુભાઇ પરમાર, વિક્રમજી ઠાકોર,  દિપકભાઇ ડોડીયા સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
તસવીરઃ- રસીક કોળી (રૂપાવટી)
(7:15 pm IST)