Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદ દ્વારા વિરમગામ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ

તાલુકા સેવા સદન વિરમગામ ખાતે આયોજીત રક્તદાન શિબિરમાં 105 લોકોએ રક્તદાન કર્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટરના માર્ગદર્શન તથા મદદનીશ કલેકટર વિરમગામ પ્રાંતની આગેવાની તથા મદદનીશ પોલીસ અઘિક્ષકના સહયોગ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહકારથી વિરમગામ તાલુકાના મહેસુલી,પંચાયત, પોલીસ, નગરપાલિકા, આર એન બી, હેલ્થ, ફોરેસ્ટ, એસ.આર.પી, શિક્ષણ તથા અન્ય તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ  તથા વિરમગામના તમામ સામાજિક - રાજકીય - ધાર્મિક આગેવાનો, વેપારીઓ, સેવાભાવી સંસ્થાઓ, જુદા જુદા મંડળો, કંપનીઓ વિગેરેના સંયુક્ત સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદ દ્વારા વિરમગામ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ હતી. તાલુકા સેવા સદન વિરમગામ ખાતે આયોજીત રક્તદાન શિબિરમાં 105 લોકોએ સ્વૈચ્છીક રક્તદાન કર્યું હતું.

(7:06 pm IST)