Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજ્યમાં કોરોના હાર્યો :નવા 5 કેસ નોંધાયા:વધુ 11 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.158 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 5779 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ મહાનગરોમાં નોંધાયા:રાજયમાં હાલમાં 221 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 11 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,66,158 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં  કુલ મૃત્યુઆંક 11,043  થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.12 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 5779 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,76.49.841 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 221 એક્ટિવ કેસ છે.જેમાંથી 2 દર્દી વેન્ટિલેટર પર છે, જયારે 219 દર્દીઓ  સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 5 કેસમાં અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 2-2 કેસ, સાબરકાંઠામાં 1 કેસ નોંધાયો છે,

(7:40 pm IST)