Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

26 જાન્યુઆરીના પાવન પર્વે ભારતમાતા મંદિર સાણંદ દ્વારા ધ્વજવંદન અને ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ભારતમાતા મંદિર સાણંદ દ્વારા આયોજિત ધ્વજવંદન તથા ભારતમાતા પૂજન નો ૩૧માં વર્ષનો સાદગી સભર રાષ્ટ્રભક્તિ યુક્ત કાર્યક્રમ આ વર્ષે કોરોના મહામારીને કારણે સંખ્યાની બાબતમાં ટૂંકમાં પરંતુ રાષ્ટ્રભક્તિની બાબતમાં ભરપૂર જોશથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભારતમાતા મંદિર સાણંદના વરિષ્ઠ કર્મનિષ્ઠ વડીલ ચંદુભાઈ લક્ષ્મણભાઇ કો.પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સાથે સાણંદ બસ સ્ટેન્ડ પાસે સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષ ઉપર ગાયત્રી પરિવારના સંયોજક  વિકાસભાઈ મિશ્રા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, ઉપરાંત ગઢીયા ચાર રસ્તા કુમાર શાળા સ્કૂલ તથા સાણંદ પોલિસ સ્ટેશન ખાતે આવેલ વીર શહીદ ની ખાંભીઓને ફૂલ અને સિંદૂરથી પોલીસ જવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા પૂજન કરાયું અને સાણંદ ભારતમાતા મંદિર ખાતે પણ સામાજિક કાર્યકરો દ્વારા પૂજન આરતી કરાઈ હતી તેમજ તાલુકાના તાજપુર ખાતે આવેલ વીર શહીદ ના પાળિયાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(7:17 pm IST)