Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વડોદરાના કલામંદિર વિસ્તારમાં મકાનના દરવાજા નજીક આગ ભભુકતા દંપતીને ભારે જહેમત બાદ બચાવવામાં આવ્યું

વડોદરા: શહેરના અત્યંત ગીચ એવા કલામંદિર સિનેમા ના ખાંચામાં એક મકાનના દરવાજા પાસે આગ લાગતા ફસાયેલા દંપતીને બચાવી લેવાયું હતું.

સુરસાગર તળાવ સામે કલામંદિર ના ખાંચામાં આવેલા ત્રણ મજલી મકાન ના ગ્રાઉન્ડ ફ્લોર પર દરવાજા નજીક મોડી રાત્રે વીજમીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જેથી નજીકમાં પડેલો કેટલો કચરો અને ગાદલા સળગ્યા હતા. બનાવ વખતે મકાનમાં રહેતા સિનિયર સિટીઝન દંપતી કૃષ્ણ કુમાર કાકડે અને તેમના પત્ની બહાર નીકળી શકે તેમ નહીં હોવાથી ત્રીજે માળે ચાલ્યા ગયા હતા. ફાયર બ્રિગેડની મદદ લેવાતા આગને કાબૂમાં લઇ દંપતીનું રેસ્ક્યુ કર્યું હતું.

(5:22 pm IST)