Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પલોલ ગામમાં રવિવારે સ્‍વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્‍ઠા અને શાકોત્‍સવ

રાજકોટ,તા. ૨૭ : આણંદ જિલ્લાના પલોલ (તારાપુર) ગામમાં સત્‍સંગ સમાજના સહયોગથી વડતાલ તાબાના શ્રી સ્‍વામિનારાયણ મંદિરનું નિર્માણ થયેલ છે. ત્‍યાં તા. ૨૮ અને ૨૯મીએ મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તથા દિવ્‍ય શાકોત્‍સવનું આયોજન કરાયેલ છે.

તા. ૨૯ને રવિવારનો રોજ સવારે ૯ કલાકે વેદોક્‍ત વિધિથી પ્રતિષ્‍ઠા થશે. જેમાં વડતાલધામથી આચાર્ય પ્રવરશ્રી રાકેશપ્રસાદજી મહારાજ વડીલ સંતો સાથે પધારી પ્રતિષ્‍ઠા કરશે. આ પ્રસંગે આ દિવ્‍ય લાભ લેવા જેવો છે. મહોત્‍સવ અંતર્ગત શ્રી સતશ્રીના વક્‍તાપદે સાંજે ૫ થી ૮ દિવ્‍ય સત્‍સંગ સભાનું અનુપમ આયોજન કરેલુ છે. સભાને અંતે શાકોત્‍સવનો પ્રસાદ સૌને પ્રાપ્‍ત થશે. માટે આ સત્‍સંગનો અનેરો લાભ, સંતોના આર્શીવાદ અને પ્રભુ પ્રસાદ પામી જીવનને ધન્‍ય બનાવવા આપ સૌ સ્‍નેહી મિત્રો અને પરિવારજનો સાથે પ્રેમી પધારવા નિમંત્રણ છે. પાઠશાળામાં સંસ્‍કૃત તથા ઇંગ્‍લિશનો અભ્‍યાસ કરાવી રહેલા આ બંને સંતો પૂજ્‍ય શ્રી સંતસાગર સ્‍વામી તથા શુકદર્શન સ્‍વામી મહોત્‍સવને આખરી ઓપ આપી રહ્યા છે

(3:25 pm IST)