Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

આજે રાજ્યમાં કોરોના માં જોવા મળી થોડી રાહત : છેલ્લા ચોવીસ કલાકમાં નવા 1190 પોઝીટીવ કેસ ની સામે 1193 દર્દીઓને રજા અપાઈ : કુલ કેસનો આંકડો વધીને 91,329 થયો : વધુ 17 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2964 એ પહોચ્યો : અત્યાર સુધીમાં કુલ 73,501 લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત

આજે પણ સુરતમાં સૌથી વધુ 258 કેસ, અમદાવાદમાં 163 કેસ, વડોદરામાં 123 કેસ, રાજકોટમાં 96 કેસ, જામનગરમાં 89 કેસ, મોરબીમાં 24 કેસ, ભાવનગરમાં 51 કેસ, પંચમહાલમાં 28 કેસ, કચ્છ માં 27 કેસ, મહેસાણામાં 21 કેસ નોંધાયા : સંપૂર્ણ સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ રીતે ફેલાઈ રહ્યો છે. રોજેરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1190 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 91,329 ને આંબી ગઈ છે અને આજે વધુ 17 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2964 થયો છે તો બીજીતરફ આજે વધુ 1193 દર્દીઓ સાજા થતા કુલ 73,501 લોકોએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં હાલમાં કુલ 14864 એક્ટિવ કેસ છે જેમાં 14773 સ્ટેબલ છે અને 91 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત રહેતા લોકો મુંજવાણમાં પડ્યા છે કે સાચ્ચા આંકડાઓ ક્યાં માનવા?

આજે નોંધાયેલા નવા 1190 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 169 કેસ છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 143 કેસ છે. આ સાથે સુરતમાં જિલ્લાના થઈને કુલ કેસ 258 થયા છે અને અમદાવાદ જિલ્લામાં 163 નવા કેસ નોંધાયા છે.

(8:22 pm IST)