Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભારત બંધના એલાનને ખેડૂત સંગઠનો અને કોંગ્રેસનો ટેકો : બંધને સફળ બનાવવા અમદાવાદમાં ઇન્ટુક સહિતની બેઠક

કૃષિ કાયદા ઉપરાંત વીજળી બિલ તેમજ નવી શિક્ષણ નીતિના વિરોધમાં ભારત બંધનું એલાન

અમદાવાદ :  ત્રણ કૃષિ કાયદા રદ્ કરવાની માગ સાથે દિલ્હીમાં હજુયે આંદોલન ચાલી રહ્યું છે, કૃષિ કાયદા ઉપરાંત વીજળી બિલ તેમજ નવી શિક્ષણ નીતિના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે, ૨૭મી સપ્ટેમ્બરના સોમવારે ભારત બંધનું એલાન અપાયું છે, સવારે છ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીના આ બંધના એલાનમાં જોડાવા માટે ગુજરાતના ખેડૂત સંગઠનો ઉપરાંત ગુજરાત કોંગ્રેસે પણ બંધને ટેકો જાહેર કર્યો છે, બંધના એલાનને સફળ બનાવવા માટે અમદાવાદ શહેરમાં ઈન્ટુક સહિતના વિવિધ સંગઠનોની બેઠક યોજવામાં આવી હતી.

(10:09 am IST)