Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો:નવા 96 કેસ નોંધાયા:વધુ 123 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું :મૃત્યુઆંક 11.034 થયો :કુલ 12.62.472 લોકોએ કોરોનાને હરાવ્યો

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 953 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 96 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 123 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,62.472 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજકોટ જિલ્લામાં એક દર્દીનું  મૃત્યુ થયું છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,034 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.06 છે

.

 રાજ્યમાં હાલ 953 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 949 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 96 કેસમાં અમદાવાદમાં 31, સુરતમાં 18, વડોદરામાં 8, જામનગરમાં 5, મહેસાણામાં 5, સુરત જિલ્લામાં 4, વલસાડમાં 4, અરવલ્લીમાં 3, ગાંધીનગરમાં 3, કચ્છમાં 3, નવસારીમાં 2, વડોદરા જિલ્લામાં 2, આણંદમાં 1, ભરુચમાં 1, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 1, પોરબંદરમાં 1, રાજકોટમાં 1, સાબરકાંઠામાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.

 

(8:55 pm IST)