Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

વડોદરામાં ફેક્ટરીના માલિક પિતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત : અરેરાટી

મકરપુરા રેલવે સ્ટેશન નજીક ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેસ દલાલે આપઘાત કર્યો

વડોદરામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેસ દલાલે આપઘાત કર્યો છે. મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકીને બંનેએ સાથે આપઘાત કર્યો છે. ટ્રેનની નીચે આવી જતા બંનેના માથા ઘડથી અલગ થઇ ગયા છે. રેલવે પોલીસે બંને ના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા છે.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિક અને તેમના પુત્રએ રેલવે ટ્રેક પર પડતુ મૂકીને આપઘાત કર્યો છે.ટ્રેનની જોરદાર ટક્કર વાગતા બંનેના માથા ઘડથી અલગ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મકરપુરા રેલવે સ્ટેશન નજીક ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેસ દલાલે આપઘાત કર્યો છે. મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ એક સાથે આપઘાત કર્યો છે. રેલવે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજીમાં ખસેડ્યા છે.

(1:50 pm IST)