Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

શ્રીકૃષ્ણ મિરેકલ હવેલી રાજપીપળાના અસિતભાઈ બક્ષી દ્વારા 10 વિકલાંગ વ્યક્તિઓને વ્હીલચેર અપાઈ

એનઆરઆઈ અસિતભાઈ બક્ષી એ અત્યારસુધી અનેક જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત મુજબ સાધન, રેશન સહિતની અનેક વસ્તુઓ આપી સેવાકાર્ય કર્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નિવાસી અને અમેરિકામાં વસવાટ કરતા અસિતભાઈ બક્ષી વિદેશમાં રહીને પણ પોતાના દેશ અને વતન માટે ખાસ લાગણી રાખતા હોવાથી અને પોતાના ગામ રાજપીપળા ના લોકોની વ્હારે હમેંશા ઉભા રહી મદદરૂપ થતા આવ્યા છે, અત્યારસુધી અનેક જરૂરિયાતમંદ લોકોને તેમના દ્વારા જરૂરી ચીજ વસ્તુઓ વિના મૂલ્યે આપી લોકોની જરૂરિયાત સંતોષી છે જેમાં તાજેતરમાં પણ રાજપીપળા ના 10 જેવા વિકલાંગ ને તેમની કેટલીક રોજિંદી ક્રિયા જાતે કરી શકે તે માટે વ્હીલચેર આપી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પાર પડ્યું હતું.

અગાઉ પણ અસિતભાઈ એ ઘણા વ્યક્તિઓને ફ્રીઝ, ટીવી,ટેબલ,ખુરશી, વાસણો, રેશન કીટ સહિત અનેક વસ્તુઓ ભેટ કરી છે ત્યારે હાલમાં વિકલાંગ વ્યક્તિઓને વ્હીલચેર આપી સહાનુભૂતિ બતાવી છે.

(11:12 pm IST)