Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

પુરવઠા નિગમની સમિતિમાં એસ. છાકછુઆકની નિમણૂક

રાજકોટ તા. ૨૭ : રાજ્ય સરકારે નાગરિક પુરવઠા નિગમની સામાજિક જવાબદારી સમિતિની રચના કરવા અને નિગમના નિયામક મંડળના સભ્ય એસ. છાકછુઆકની નિમણૂક સમિતિમાં કરવા માટે ઠરાવ કર્યો છે. તેણી ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. હાલ નાણા વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

(2:37 pm IST)