Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

નડિયાદમાં ફાઇનાન્સ કર્મચારીએ કંપની સાથે લાખોની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ:શહેરમાં આવેલી એક ફાઇનાન્સ કંપનીના કર્મચારીએ કંપની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના ઘટી છે.આ બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના સંતરામ રોડ ઉપર આવેલ સેન્ટર સ્કવેર એસ.આર.જી ફાયનાન્સ કંપનીમાં  વિષ્ણુભાઇ પ્રવિણસિંહ ડાભી રીકવરી ઓફિસર તરીકે નોકરી કરતા હતા. તા.૧૨-૦૨-૨૦૨૧થી તા. ૨૯-૧૧-૨૦૨૧ સુધી જુદા જુદા ગ્રાહકો પાસેથી લોનના નાણા રીકવર કર્યા હતા. જે કુલ રૂા.૨,૨૬, ૮૬૦ રીકવર કર્યા હતા. આમ નવ વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયાની લોન રીકવર કરી હતી.

આ બાદ તા.૦૫-૦૫-૨૦૨૧થી આજદિન સુધીમાં ફરજ પર આવ્યા ન હોવા છતા કુલ રૂા.૩,૧૫,૦૦૦ પૈસાની ઉઘરાણી કરી હતી. આ બનાવમાં કુલ-૫ વ્યક્તિઓ પાસેથી પૈસાની રીકવરી કરી હતી. 

આ બનાવ અંગે કંપનીના મેનેજર જશવંતસિંહ મબીપતસિંહ સોલંકીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે વિષ્ણુભાઇ પ્રવિણસિંહ ડાભી રહે,પીઠાઇરીયા સીમ કઠલાલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:05 pm IST)