Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ

ગાંધીનગર : તા.૨૭ મી નવેમ્બર ૧૮૮૮ એ વડોદરા ખાતે જન્મેલ, ‘દાદા સાહેબ' નામથી લોકહૃદયમાં પ્રતિષ્ઠિત બનેલા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની તથા આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમમાં મુકાયેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડી.એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ આપી ગણેશ વાસુદેવ માવળંકરના જીવનના આઝાદીકાળ સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ / કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા

(6:55 pm IST)