Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ઘાટલોડિયામાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રીએ ભુપેન્દ્રભાઈ પટેલે બંસીકાકાના આશીર્વાદ લીધા

જનસંઘ વખતના પાયાના કાર્યકર્તા એવા બંસીકાકાના ખબર અંતર પુછી તેમના આશીર્વાદ મેળવ્યા

અમદાવાદ ;  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં તાકાત લગાવી રહી છે. ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલનો રોડ શો યોજાયો હતો. સુભાષ ચોકથી બોડકદેવ સુધી યોજાયો હતો.

 ઘાટલોડિયામાં યોજાયેલા રોડશો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનસંઘ વખતના પાયાના કાર્યકર્તા એવા બંસીકાકાના આશીર્વાદ લીધા. મુખ્યમંત્રી ગાડીમાંથી ઉતર્યા હતા અને બંસીકાકાના ખબર અંતર પુછી તેમના આશીર્વાદ લીધા હતા આ એ જ બંસીકાકા છે જેમને ખૂદ પીએમ પણ સમયાંતરે ખબર અંતર પુછતા રહે છે.

(12:08 am IST)