Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ભાજપના દિગ્ગજ નેતા અને સ્વાસ્થ્ય આરોગ્ય મંત્રી રહી ચુકેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભામાં પહોચીને સમર્થન જાહેર કર્યુ

હું એમની સાથે છું, આજે સાથે છું, અને કાલથી વધારે સાથે છું. આપણે બધા સાથે રહીને ચંદનજી ભાઇને જીતાડીશુ અને આ ભીષણીયા પાર્ટીને છોડીને હવે એક જ મતની પાર્ટીનો સહારો લીધો છે. હું તમારા વચ્ચે છુ અને રહીશ, મારે ત્યા આવનારા લોકોને કોઇ તકલીફ નથી પડતી. બધા સાથે રહીશું તો સારૂ થશે, સારૂ કરવુ છે માટે ચંદનજી ભાઇનો હાથ પકડ્યો છે: જયનારાયણ વ્યાસ

ગાંધીનગર: ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારની એક જનસભામાં પહોચીને જયનારાયણ વ્યાસે ટેકો જાહેર કર્યો હતો અને ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત સાથે બેઠક પણ કરી હતી.

સિદ્ધપુર વિધાનસભા પર ભાજપના દિગ્ગજ નેતા અને સ્વાસ્થ્ય આરોગ્ય મંત્રી રહી ચુકેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભામાં અચાનક પહોચીને સમર્થન જાહેર કર્યુ છે. પોતાના સમર્થકોને જ ચંદનજી ઠાકોરને મત આપવા અપીલ કરી છે. ભાજપની નેતાગીરીથી

(4:34 pm IST)