Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પરીક્ષા પે ચર્ચામાં ગુજરાતમાંથી ૧૬.૪૦ લાખ છાત્ર જોડાયા

ભુપેન્દ્રભાઈ પણ વડોદરાથી કાર્યક્રમમાં સમંલીત થયા

અમદાવાદ તા. ૨૮ : પરીક્ષા પે ચર્ચાના છઠ્ઠા સંસ્કરણમાં નરેન્દ્રભાઈ સાથે દેશભરમાંથી વિદ્યાર્થીઓ વાલીઓ ઓનલાઈન જોડાયા હતા. તેમણે વિદ્યાર્થીઓને એકાગ્રતા અને સ્થિર મનોસ્થિતિ સાથે પરીક્ષા આપવા માર્ગદર્શન આપ્યું હતું. દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતમાંથી પણ ૧૬.૪૦ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ સંવાદ ઓનલાઇન નિહાળ્યો હતો.

ભુપેન્દ્રભાઈએ પણ વડોદરાની આત્મીય વિદ્યાલયના દસમા અને બારમા ધોરણના એક હજાર છાત્રો સાથે આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. નરેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અનેક મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પરીક્ષાનો વિદ્યાર્થી માટે બોજ વધ્યો છે તેવામાં માતા-પિતા તેને ઓછો કરવા પરીક્ષાની જીવનનો સહજ તથો સ્વાભાવિક ભાગ બનાવવો જોઈએ.

(6:47 pm IST)