Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વડનગર-વલસાડ ટ્રેન હવે દરરોજ વિસનગરમાં ઉભી રહેશે: 26 જાન્યુઆરીથી આ ટ્રેનને સ્ટોપેજ મળ્યા બાદ સાંજે 5 વાગ્યે મહેસાણા સાંસદ શારદાબેન પટેલના હાથે લીલી ઝંડી બતાવીને આ ટ્રેનને રવાના કરવામાં આવી

વિસનગરમાં સ્ટોપેજ મળતા વિસનગરવાસીઓ પણ આ ટ્રેનનો લાભ ઉઠાવી શકશે

ગાંધીનગર: વલસાડ-વડનગર ટ્રેનને વિસનગરમાં સ્ટોપેજ જાહેર થયા બાદ સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વિસનગરમાં સ્ટોપેજ મળતા વિસનગરવાસીઓ પણ આ ટ્રેનનો લાભ ઉઠાવી શકશે. 26 જાન્યુઆરીથી આ ટ્રેનને સ્ટોપેજ મળ્યા બાદ સાંજે 5 વાગ્યે મહેસાણા સાંસદ શારદાબેન પટેલના હાથે લીલી ઝંડી બતાવીને આ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
2 મિનિટ વિસનગરમાં ઉભી રહેશે ટ્રેન
મહત્વપૂર્ણ છે કે વડનગર-વલસાડ ટ્રેન હવે દરરોજ વિસનગરમાં ઉભી રહેશે. વલસાડ જતી ટ્રેન નંબર 20960 સાંજે 5.10 વાગ્યે મહેસાણા સાંસદ શારદાબેનના હાથે લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન હવે દરરોજ વલસાડ જવા માટે સાંજે 5 વાગીને 8 મિનિટ પર વિસનગર પહોચશએ અને 5 વાગીને 10 મિનિટ પર વિસનગરથી ઉપડશે.

(7:07 pm IST)