Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામ માં નર્મદા મૈયા ને 400 મીટર લાંબી સાડી અર્પણ કરીને પૂજન કરાયું

(ભરત શાહ દ્વારા) -રાજપીપળા : પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની શનિવારે નર્મદા જયંતી હતી ત્યારે નર્મદા જયંતિ નિમિતે નર્મદા જિલ્લાના માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદામૈયા ને ૪૦૦ મીટર એટલેકે 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે પહોંચી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી જેમાં નર્મદા મૈયાને અગિયાર સો ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે સાથે દસથી વધારે નૌકાઓ ની મદદ લઇ શ્રધ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયા ને સાડી અર્પણ કરી હતી.

(11:22 pm IST)