Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ભાજપના પીઢ આગેવાન દત્તાજી ચિરંદાસની ચિર વિદાય

૮૦ વર્ષના હતા, કોરોનાની સારવાર દરમિયાન નિધન

રાજકોટ : ગુજરાતના પદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને પદેશ ભાજપના પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસનું કોરોનાથી દુઃખદ અવસાન થયેલ છે. ભાજપના પાયાના કાર્યકર અને ભાજપને ઉચાઈ પર લઈ જનાર સંગઠનમા પ્રાણ પુરનાર એવા પીઢ દત્તાજી ચિરંદાસનુ ૮૦ વર્ષની વયે કોરોનામા બે જ દિવસમા એસવીપીમાં સારવાર દરમિયાન  મૃત્યુ નીપજ્યુ હતું. ભાજપના વરિષ્ઠ આગેવાન અને માજી જીઆઈડીસીના ચેરમેન રહી ચુકેલા દત્તાજી એ વુધ્ધાવસ્થા વયે પણ ઉચ્ચ ગ્રેજ્યુએટની પરીક્ષા પસાર થોડાક વર્ષ પૂર્વે જ પસાર કરી હતી. તેમના દુઃખદ નિધન થી ભાજપના વરિષ્ઠ આગેવાન તેમજ કાર્યકરોએ શોક વ્યકત કર્યો.

(1:05 pm IST)