Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

વિરમગામના યુવાને અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી

 વિરમગામ:શહેર અને તાલુકામાં આપઘાત કરવાના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વિરમગામ શહેરના એક યુવાને કોઈ અગમ્ય કારણસર ટ્રેન નીચે પડતું મૂકી  આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

ઉપરોક્ત બનાવની પોલીસસુત્રો તરફથી મળતી માહિતી મુજબ વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. પાસે વિરમગામ શહેરના કૌશિક અરવિંદ ચાવડા .. ૩૦નાઓએ કોઈ અગમ્ય કારણસર ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી મોતને વહાલુ કર્યું હતું. બનાવની જાણ વિરમગામ રેલવે પોલીસને થતા ઘટનાસ્થળે આવી મૃતકની લાશને પીએણ અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વાસુદેવભાઈ મોહનભાઈ ચલાવી રહેલ છે.

 

(5:07 pm IST)