Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક કેસ સાથે અત્યારસુધીના સર્વાધિક 8595 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 14,120 કેસ નોંધાયા :170 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 6656 થયો : કુલ 3.98,824 લોકોએ કોરોનાને હરાવ્યો :વધુ 1.35,256 લોકોનું રસીકરણ કરાયું: 18થી 45 વયની વયજૂથના લોકોના રસીકરણ માટે ઓનલાઇન નોંધણી શરૂ

અમદાવાદમાં 5740 કેસ,સુરતમાં 2116 કેસ,વડોદરામાં 948 કેસ, જામનગરમાં 721 કેસ, મહેસાણામાં 491 કેસ, રાજકોટમાં 434 કેસ, ભાવનગરમાં 385 કેસ,સુરેન્દ્રનગરમાં 251 કેસ,જૂનાગઢમાં 237 કેસ, બનાસકાંઠામાં 233 કેસ, ગાંધીનગરમાં 224 કેસ, કચ્છમાં 183 કેસ, દાહોદમાં 181 કેસ,પાટણમાં 180 કેસ,મહીસાગરમાં 155 કેસ, નવસારીમાં 140 કેસ, ખેડામાં 139 કેસ, તાપીમાં 138 કેસ, અમરેલીમાં 137 કેસ, ગીર સોમનાથમાં 128 કેસ, ભરૂચ અને પંચમહાલમાં 123 -123 કેસ, વલસાડમાં 119 કેસ, આણંદમાં 109 કેસ, અરવલ્લીમાં 04 કેસ,સાબરકાંઠામાં 84 કેસ , મોરબીમાં 74 કેસ નોંધાયા : હાલમાં 1.33,191 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર  આજે રાજ્યમાં 14,120 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 8595 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 14,120 કેસ નોંધાયા છે જયારે વધુ 8595 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3, 98,824 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 174 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 6830 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 74.01 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,33,191 એક્ટિવ કેસ છે, જેમાંથી 421 લોકો વેન્ટિલેટર પર અને 1,32,770 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,98,824 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 95.64,559 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 21.93,303 બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,17,57,862 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી  કુલ 47,432 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 75,751 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 14,120 કેસમાં અમદાવાદમાં 5740 કેસ,સુરતમાં 2116 કેસ,વડોદરામાં 948 કેસ,  જામનગરમાં 721 કેસ, મહેસાણામાં 491 કેસ, રાજકોટમાં 434 કેસ, ભાવનગરમાં 385 કેસ,સુરેન્દ્રનગરમાં 251 કેસ,જૂનાગઢમાં 237 કેસ, બનાસકાંઠામાં 233 કેસ, ગાંધીનગરમાં 224 કેસ, કચ્છમાં 183 કેસ, દાહોદમાં 181 કેસ,પાટણમાં 180 કેસ,મહીસાગરમાં 155 કેસ, નવસારીમાં 140 કેસ, ખેડામાં 139 કેસ, તાપીમાં 138 કેસ, અમરેલીમાં 137 કેસ, ગીર સોમનાથમાં 128 કેસ, ભરૂચ અને પંચમહાલમાં 123 -123 કેસ, વલસાડમાં 119 કેસ, આણંદમાં 109 કેસ, અરવલ્લીમાં 04 કેસ,સાબરકાંઠામાં 84 કેસ , મોરબીમાં 74 કેસ નોંધાયા છે

(7:53 pm IST)