Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજપીપળા મકાલેશ્વર મંદિરમાં થયેલી ચોરીની તપાસમાં FSL ટીમ આવી પહોંચી

રાજપીપળા : રાજપીપળા નાં મહાકાલેશ્વર મંદિરમાંથી ચોરી થવાની ઘટના બનતા મંદિરના પુંજારી એ ફરિયાદ આપી હતી ત્યારે આજે ચોરીની તપાસ માટે ભરૂચ થી એફ એસ એલ ની ટીમ રાજપીપળા ખાતે આવી હતી

રાજપીપળા ટાઉન પીઆઈ જે કે પટેલના જણાવ્યા મુજબ સંતોષ ચાર રસ્તા પાસે આવેલા મહાકાલેશ્વર મંદિરના આગળના ભાગે આવેલ લોખંડની જાળીને મારેલ તાળા તોડી કોઈ અજાણ્યા ચોર એ ચાંદીના નાગ તથા તાબા-પિતળનુ શીસ મળી કુલ કી.રૂ.૬૬,૫૦૦  મતાની ચોરી કરી હતી જેમાં તપાસ આગળ વધતા આજરોજ ભરૂચ થી એફ એસ એલ ટીમ રાજપીપળા આવી જરૂરી તપાસ હાથ ધરી છે

(11:19 pm IST)