Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજપીપળા ખાતે વન ડે - વન ડિસ્ટ્રિક્ટ' અંતર્ગત સી.આર.પાટીલનાં આગમન બાબતે બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લા ના મુખ્ય મથક રાજપીપળા ખાતે વન ડે - વન ડિસ્ટ્રિક્ટ' અંતર્ગત   બીજેપી ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું 30 મે અને 31 મેં  રાજપીપળા માં આગમન થશે. જે કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ જ વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોવાથી તમામ રાજકીય પક્ષ.સક્રિય થયા છે. ત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કાર્યકરોને કામે લગાડવામાં આવ્યા છે.જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વન-ડે વન-ડિસ્ટ્રિક્ટ' કાર્યકમ અંતર્ગત આગામી 30 મી મેના રોજ રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનું આગમન થનાર છે જેમાં રાજપીપળા ના ટાઉન હોલ  ખાતે એક  કાર્યકમ યોજાશે. જેમાં દિવ્યાંગો તથા કામદારો સહિત સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.

 અન્ય કાર્યક્રમમાં પ્રમુખ નિવૃત શિક્ષકો તથા નિવૃત સરકારી કર્મચારીઓ સાથે સંવાદ કરશે.જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે પણ બેઠક કરશે ઉપરાંત જિલ્લાના લાભાર્થીઓ સાથે પણ બેઠક કરી જિલ્લાના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરશે અને પેજ સંમેલન ના કાર્યક્રમ માં મહાસંમેલન દરમ્યાન 25000 કાર્યકર્તાઓને સંબોધન કરશે

.આમ રાજપીપળા  ખાતે 'વન-ડે વન-ડિસ્ટ્રિક' અંતર્ગત.  બે કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે રાજપીપળા  શહેર અને તાલુકાના ભાજપના મુખ્ય કાર્યકરો અને પ્રેસ મીડિયા ની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે ભાજપા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,જિલ્લા પ્રભારી સતિષભાઈ પટેલ સહિતના કાર્યકર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

(11:23 pm IST)