Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

નર્મદાના એક અખબારના તંત્રી યોગેશભાઈ વસાવાનું હૃદયરોગમાં દુઃખદ અવસાન થતા શોકની લાગણી ફેલાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાંથી પ્રસિદ્ધ થતા બેનકાબ ભ્રષ્ટાચાર અખબાર ના તંત્રી અને માલીક યોગેશભાઈ વસાવાનું તા.25 મી જુલાઈએ હૃદયરોગમાં હુમલામાં દુઃખદ અવસાન થતાં જિલ્લાના પત્રકારોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી.
 નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ત્યારે આ જિલ્લાના પ્રથમ આદિવાસી પત્રકાર તરીકે નામના મેળવનાર યોગેશભાઈ વસાવા તેમના અખબારના માધ્યમથી જિલ્લાના આદિવાસી વિસ્તારની સમસ્યાઓ બાબતે લાગતા વળગતા તંત્ર કે સરકારનું ખાસ ધ્યાન દોરી જેતે વિસ્તારની સમસ્યાઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેતા હતા પરંતુ આમ અચાનક તેમની વિદાઇ થતા તેમના પરિવારજનો સહિત પત્રકાર આલમમાં શોક ફેલાયો છે. જિલ્લાના પત્રકરોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

(10:33 pm IST)