Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વડોદરા દુષ્કર્મ કેસ : પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટની જુનાગઢમાં ધરપકડ

અમદાવાદ, વડોદરા અને જુનાગઢની પોલીસ ટીમ અજ્ઞાત સ્થળે પુછપરછ માટે લઇ ગઇ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૮:  વડોદરાના ચકચારી દૂષ્કર્મ કેસમાં પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટની જુનાગઢમાં ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ અને વડોદરા પોલીસ ટીમને બાતમી મળી હતી કે વડોદરામાં યુવતી ઉપર દુષ્કર્મ આચારનાર પાવાગઢના ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ જુનાગઢમાં આટાફેરા મારે છે જેથી જુનાગઢ-એ ડીવીઝન પોલીસ ટીમ અને જુદી જુદી પોલીસ ટીમોને સાથે રાખીને જુનાગઢમાંથી એ-ડીવીઝન વિસ્તારમાંથી રાજુ ભટ્ટને ઝડપી લીધો હતો.

અમદાવાદ એટીએસ, વડોદરા પોલીસ, જુનાગઢ એ-ડીવીઝન તથા અન્ય પોલીસ ટીમોએ આરોપી રાજુ ભટ્ટને અજ્ઞાત સ્થળે લઇ જઇને પુછપરછ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હરીયાણાની ર૪ વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મની ફરીયાદ બાદ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સી.એ. અશોક જૈન ભાગતા ફરતા હતા અને જુદી જુદી દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ માટે છેલ્લા ઘણા દિવસોની પોલીસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરતી હતી પરંતુ કોઇ પતો લાગતો ન હતો અંતે આજે સવારે ૧૦ વાગ્યે જુનાગઢમાંથી રાજુ ભટ્ટ ઝડપાઇ ગયો છે.

(3:38 pm IST)