Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મનિષ સિસોદીયા કાલે ગાંધીનગરમાં: રોડ- શો

અક્ષરધામ મંદિરે દર્શન કરશે, સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે, પત્રકારોને સંબોધશે

રાજકોટઃ આવતીકાલે તા.૨૯ના બુધવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી શ્રી મનિષ સિસોદિયા  ગાંધીનગર મહાનગરપાલિકા ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.

તેઓનું આવતીકાલે સવારે ૧૦:૨૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. પાર્ટીના પ્રદેશના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમનું એરપોર્ટ પર સ્વાગત કરશે અને ગાંધીનગર અક્ષરધામ મંદિર તરફ પ્રયાણ કરશે. ત્યારબાદ સવારે ૧૦:૫૦ કલાકે, અક્ષરધામ મંદિર ગાંધીનગર પહોંચી ભગવાન શ્રી સ્વામીનારાયણના દર્શન કરશે અને ત્યાર બાદ ગિફટ સિટી કલબ જવા રવાના થશે.

બપોરે ૧૨ વાગે ગાંધીનગર નાગરિક સમિતિ દ્વારા આયોજીત ગાંધીનગર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. જયા ગાંધીનગરના પ્રબુધ્ધ નાગરિકો સાથે મારા સપનાનું ગાંધીનગર મહાનગર કેવું હોવું જોઈએ તે બાબતે ટાઊન હોલમાં ચર્ચા થશે.

બપોરે ૧:૩૦ વાગે ગિફટ સિટી ખાતે પત્રકાર પરીષદ સંબોધશે. પેથાપુર ગામ ખાતે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ૪:૩૦ કલાકે પેથાપુર મુકામે પહોંચશે અને રોડ- શોમાં ઉપસ્થિતિ રહેશે. સાંજે ૫:૩૦ વાગે પેથાપુરથી એરપોર્ટ જવા માટે રવાના થશે.

(3:39 pm IST)