Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અમદાવાદના વેજલપુરમાં યુવતીને ભગાડી જનાર શખ્સને જાનથી મારી નાખવાની ધમકી અપાતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: શહેરનાવેજલપુરમાં રહેતી મહિલાનો પતિ રાણીપમાં રહેતી યુવતીને લઈને ભાગી ગયો હતો. જેને પગલે યુવતીના પિતાએ તે જ્યારે પાછો ફરશે ત્યારે તેને જીવતો સળગાવી દઈશ, એવી ધમકી મહિલાના નણદોઈને આપી હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ બનાવની વિગત મુજબ વેજલપુરમાં અલકનંદા ફ્લેટમાં રહેતા મેનાબહેન અમીતભાઈ વ્યાસ તેમના સાસુ, અને બે દિકરી સાથે રહે છે. તેમના પતિ અમીતભાઈ ગોતામાં પાનનો ગલ્લો ધરાવતા હતા. દરમિયાન બે મહિના પહેલા તે રાણીપમાં રહેતા મુકેશભાઈ ગોસ્વામીની દિકરીને લઈને ભાગી ગયા હતા. બીજીતરફ સેટેલાઈટમાં વિધાતા ફ્લેટમાં રહેતા મેનાબહેનના નણદોઈ શંકરલાલ બી.પટેલે મેનાબહેનને કહ્યું હતું કે મુકેશ ગોસ્વામીએ તેને ફોન કરીને મેનાબહેનનો પતિ મારી દિકરીને ભગાડી ગયો છે અને મારી દિકરીની શોધખોળ કરતા નથી. મને મારી દિકરી શોધી નહી આપે તો તેનો પતિ છ બાર મહિને મારી દિકરીને પાછો લઈને આવશે ત્યારે હું તેને ઉભો સળગાવી દઈશ, એવી ધમકી આપતો હતો, એમ કહ્યું હતું. 

(7:01 pm IST)