Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજપીપળા જીલ્લા જેલમાં આજથી શરૂ થતાં નવરાત્રી નિમિત્તે માતાજીની વિધિવત સ્થાપના કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.૨૬/૦૯/૨૦૨૨ ના રોજ રાજપીપળા જીલ્લા જેલ ખાતે નવલખી નવરાત્રીના શુભારંભે રાજપીપળા જીલ્લા જેલના તમામ અધિકાર/કર્મચારીઓ તથા બંદિવાનો દ્રારા શ્રી અંબે માતાજીનું પુષ્પગુચ્છ તથા ઢોલ-નગારા સાથે રાજપીપળા જીલ્લા જેલ ખાતે આગમન કરવામાં આવ્યુ હતું. તેમજ રાજપીપળા જીલ્લા જેલ ખાતે શ્રી અંબે માતાજીની પ્રતિમાનું સ્થાપનાં કરવામાં આવી અને શ્રી અંબે માતાજીની આરતી કરવામાં આવી હતી.જેલ અધિક્ષક મકવાણા આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાનોનાં હૃદય પરીવર્તન માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

 

(10:43 pm IST)