Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આઈ. એ. એસ.ઑફિસર્સ વાઈવ્ઝ વેલ્ફેર એસો, આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી આદ્યશક્તિની આરતી કરી

ગાંધીનગર :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે આઈ. એ. એસ.ઑફિસર્સ વાઈવ્ઝ વેલ્ફેર એસોસીએશયન દ્વારા ગાંધીનગરમાં આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં  ઉપસ્થિત રહી આદ્યશક્તિની આરતી કરી હતી

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર,પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ સચિવો અને તેમના પરિવારજનો તેમજ નિવૃત્ત સનદી અધિકારીઓ પણ આ અવસરે સહભાગી થયા હતા અને માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો

(12:06 am IST)