Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાંઆઈ. એ. એસ.ઑફિસર્સ વાઈવ્ઝ વેલ્ફેર એસોસીએશયન આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત : આદ્યશક્તિ માતાજીની આરતીનો લાભ લીધો

રાજકોટ::મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે આઈ. એ. એસ.ઑફિસર્સ વાઈવ્ઝ વેલ્ફેર એસોસીએશયન દ્વારા ગાંધીનગરમાં આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં  ઉપસ્થિત રહી આદ્યશક્તિ માતાજીની આરતી કરી હતી.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર,પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ સચિવો અને તેમના પરિવારજનો તેમજ નિવૃત્ત સનદી અધિકારીઓ પણ આ અવસરે સહભાગી થયા હતા અને માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.

(10:18 am IST)