Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પ૮ ટી. ડી.ઓ.ની બદલીઃ જેતપુર, ધારી, જામકંડોરણા, ઉપલેટા, ચોટીલામાં નવી નિમણૂકો

તળાજા, પાલીતાણા, ઉના, સાવરકુંડલા, અમરેલીના ટી.ડી.ઓ.ની બદલી

રાજકોટ તા. ૨૭ :. ગુજરાત રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજયના ૫૮ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

જેમાં અમદાવાદના દસકોઈ પી.જે. મહીડાને દેહગામ, દેત્રોજના ડી.જી.દેસાઈને ભરૂચ, ધારીના એમ.જી.રાવને વડોદરા, સોજીત્રાને કે.વી. નંદાને માતર, ઉમરેઠના ડો. ક્રિષ્‍ના ઉપાધ્‍યાયને દેત્રોજ, તળાજાના કિરણ પરમારને સાવરકુંડલા, પાલીતાણાના રિપલબેન ચૌધરીને બોરસદ, પાલનપુરના એ.બી. પરમારને હિંમતનગર, લાખણીના વી.એમ. પ્રજાપતિને રાધનપુર, બનાસકાંઠાના કલ્‍પના ચૌધરીને મહેસાણા, ડીસાના ડી.ડી. સોલંકીને સંજેલી, નસવાડીના એ.જે.ચૌધરીને પાલીતાણા, ધાનપુરના જે.આર.રાખવાને માંડવી, વંથલીના પી.એલ. વાઘાણીને જેતપુર, વસોના મિહીકા પરમારને સોજીત્રા, ખેડાના એચ.એન.ભાસ્‍કરને જામકંડોરણા, ગલતેશ્વરના કરણકુમાર પ્રજાપતિને વાઘોડીયા, અબડાસાના શૈલેષકુમાર સી.ભટ્ટને ધારી, કડીના કે.કે.પ્રજાપતિને પાટણ, ખેરાલુના એ.એમ. પંડયાને ડીસા, સતલાસણાના ગીતાબેન ઠાકોરને હારીજ, ડેડીયાપાડાના કે.એમ.વસાવાને ફતેપુરા, ખેર ગામના રાહુલ ડી. પટેલને વલસાડ, જાંબુઘોડાના સેજલકુમારી સંગાડાને ડેડીયાપાડા, મોરવાહડફના આર.કે.રાઠવાને ધાનપુર, પાટણના ડો.અરવિંદકુમાર પ્રજાપતિને ગલતેશ્વર, જેતપુરના નિશાન કુગશીયાને બારડોલી, જામકંડોરણાના ડી.આર. બગથરીયાને ઉના, હિંમતનગરના મિલીંદકુમાર દવેને દિયોદર, ઓલપાડના એમ.બી. હાથીવાલાને ધરમપુર, કરજણના પી.ડી. સેનમાને અંજાર, ડેડારના ડી.ટી.લાડુમોરને તળાજા, વલસાડના વિમલકુમાર પટેલને ખેર ગામ, માંડવીના વી.બી. ગોહિલને ડેસર, ઉનાના એસ.બી. જાડેજાને ઉપલેટા, અંજારના રાજેશકુમાર ત્રિવેદીને જોટાણા, દિયોદરના ભરતકુમાર શ્રીમાળીને લાખણી, સાવરકુંડલાના પી.સી.પરમારને ચોટીલા, ફતેપુરાના જગતસિંહ ઠાકોરને જાંબુઘોડા, ધરમપુરના સુભાષ ગાવિતને કરજણ, સુરતના મહેશકુમાર પટેલને વાગરા, બોરસદના જયોતિ દેસાઈને મહુધા, બારડોલીના દિપેશ પટેલને નીજર, કાલોલના નૈત્રી જે. લેઉવાને મોરવાહડપ, સુબીરના વિશાલકુમાર પટેલને ડોલવણ, અમરેલીના તપન ત્રિવેદીને નસવાડી, વિસાવદરના સુબોધ દુધકીયાને ખેરાલુ, રાણાવાવના સનાભાઈ કોલચાને દેવગઠ બારીયા, વિંછીયાના ડી.કે. પરમારને વાંકાનેર, રાધનપુરના પ્રકાશ પરમારને મહેમદાબાદ, મહેમદાબાદના પારસ ચૌહાણને વંથલી, માતરના પૂનમ ડામોરને સુબીર, નીજરના જૈમીની પટેલને ચૌયાર્સી, સાગબારાના હસમુખ રાઠવાને અબડાસા, મહુધાના અમિત પટેલને દસકોઈ, સાઉલીના મલય ભુવા વસો, જૂનાગઢના જયદીપ પટેલને બેચરાજી તથા બેચરાજીના આર.વી. ઠાકોરને જૂનાગઢ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરીને મૂકવામાં આવ્‍યા છે. આ આદેશ સરકારના નાયબ સચિવ હિતેષ ગોહીલે કર્યો છે.

(11:39 am IST)