Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અમિતભાઇએ રૂપાલ ખાતે વરદાયિની માતાજીના દર્શન કર્યા

ગાંધીનગરઃ કેન્‍દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર તાલુકાના રૂપાલ ખાતે નવરાત્રીના બીજા નોરતે વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ મેળવ્‍યા હતા. શ્રી શાહે વરદાયિની માતાજીના મંદિરમાં નવનિર્મિત સ્‍વર્ણજડિત ગર્ભગૃહ અને મુખ્‍ય દ્વાર પણ લોકાર્થે ખુલ્લા મુક્‍યા હતા. આ સ્‍વર્ણ જડિત ગર્ભગૃહ માટે રૂપાલના વતનીᅠ બળદેવભાઇ જોઈતારામ પટેલે સોનાનું દાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના જુલાઈ માસમાં જ નરેન્‍દ્રભાઈ અને અમિતભાઈ શાહના પ્રયાસોથી રૂપાલ સ્‍થિત વરદાયની માતાના મંદિરનો કેન્‍દ્ર સરકારની પ્રસાદમ યોજનામાં સમાવેશ કરાયો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના પ્રભારી ડો. હર્ષદભાઈ પટેલ, જિલ્લા ભાજપા અધ્‍યક્ષ અનિલભાઈ પટેલ, જિલ્લાના પ્રવાસી પ્રભારી સર્વે રાજેશભાઈ ચૌધરી, તારાસિંગજી જૈન, જિલ્લા તેમજ તાલુકા ભાજપના પદાધિકારીઓ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્‍યો, સ્‍થાનિક પંચાયતના હોદેદારો, કાર્યકર્તાઓ અને ભાવિક ભકતો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:33 pm IST)