Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીતનગર જેલમાં માનસિક આરોગ્ય કેમ્પ યોજાશે :,બંદીવાનો લાભ લેશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના તાલુકાના જીતનગર ખાતે આવેલી જિલ્લા જેલ ખાતે તારીખ 28.10.21ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ માનસિક આરોગ્યના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં અલગ અલગ બંદીવાનો તેમના માનસિક આરોગ્ય માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલના માનસિક આરોગ્ય વિભાગના સાયકિયાટ્રીસ્ટ ડો.પ્રશાંત જરીવાલા, સ્ટાફ અને સાયકિયાટ્રિક સોશિયલ વર્કર સાથે આ કેમ્પને લગતી તમામ સેવાઓ પૂરી પાડશે.જેલના કેદીઓને માનસિક આરોગ્યને લગતી સેવા મળે તે માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે,ઉપરાંત જેલમાં કેદીઓના માનસિક સ્વાસ્થ્ય અને જેલના સ્ટાફ ના માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે પણ સલાહ સૂચનો આપવામાં આવશે.

(11:10 am IST)