Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

મહાનગરો સાથે કચ્છમાં કોરોનાનો પગપેસારો :રાજ્યમાં નવા 26 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 33 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :કુલ મૃત્યુઆંક 10.092 :કુલ 8.17.032 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 1.43.050 લોકોનું રસીકરણ કરાયું

વડોદરામાં 7 કેસ, સુરત, કચ્છ અને અમદાવાદમાં 5-5 કેસ, ભાવનગર,ગીર સોમનાથ ,નવસારી અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો: હાલમાં 287 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 26 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 33 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 26 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 33 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.17.032 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી  રાજયમાં કુલ મૃત્યુઆંક 10.092 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ  1.43.050 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8.00.23.305 રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 284 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 લોકો વેન્ટિલેટર પર અને 280 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.17.032 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી,,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.092 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 26 કેસમાં વડોદરામાં 7 કેસ, સુરત, કચ્છ અને અમદાવાદમાં 5-5 કેસ, ભાવનગર, ગીર સોમનાથ,નવસારી અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:27 pm IST)