Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કોંગી નેતા નવીનચંદ્ર રવાણીને શ્રધ્ધાંજલી અર્પતા શંકરસિંહ

રાજકોટઃ કોંગી નેતા નવિનચંદ્ર રવાણીનું દુઃખદ નિધન થતાં શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરી તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી. તેમની સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. અમરેલીના પૂર્વ સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા શ્રી નવીનચંદ્ર રવાણીનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના...ઁ શાંતિ.

(3:18 pm IST)