Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

અમદાવાદ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિરમગામ ખાતે “કોરોના વોરિયર્સ સન્માન” કાર્યક્રમ યોજાયો

વિરમગામ શહેર અને તાલુકાનો કાર્યક્રમ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં અમદાવાદ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા, વિરમગામ શહેર તથા તાલુકા યુવા મોરચા દ્વારા વિરમગામ શહેર અને તાલુકાની અંદર કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે જે લોકોએ અવિરત પણે કામ કરેલ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ રણધીરસિંહ પઢેરીયા, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી સુરેશભાઈ પટેલ તથા નવદીપભાઈ  ડોડીયા, વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય  અને પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ડૉ.તેજશ્રીબેન   પટેલ, નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ  દીપાબેન ઠક્કર,  દશરથભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ જનકભાઇ પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મયુરભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્ય  વિષ્ણુભાઈ જાદવ, હિન્દુસ્તાન ગમ કેમિકલ કંપનીના મેનેજર  વિનોદભાઈ શર્મા, વિરમગામ શહેર પ્રમુખ  નરેશભાઇ શાહ, મહામંત્રી  મિતેશભાઇ આચાર્ય, દેવાભાઈ ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ કિરીટસિંહ ગોહિલ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ, વિરમગામ શહેર યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ મુનસરા, તાલુકાના યુવા મોરચાના પ્રમુખ  વિક્રમભાઈ ઠાકોર, વિરમગામ શહેરના ચૂંટાયેલા સદસ્યો અને વિરમગામ શહેરમાંથી તથા તાલુકામાંથી કોરોના વોરિયર્સ તરીકે જેમણે અવિરતપણે સેવા આપી છે તેવા કોરોના વોરિયર્સ હાજર રહ્યા હતા અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

(6:39 pm IST)