Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

શનિવારે ગૌણ સેવા પંસદગી મંડળની પરીક્ષા યોજાશે :રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત

રાજયના 1105 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન: રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, આણંદ, સાબરકાંઠાના કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા આપી શકશે

ગાંધીનગર : રાજય સરકાર દ્વારા આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં 31 જુલાઈ શનિવારે ગૌણ સેવા પંસદગી મંડળની પરીક્ષા યોજવાની સરકારે જાહેરાત કરી છે. જેમાં સિનિયર કલાર્કની 1497 જગ્યા માટે આ પરીક્ષા યોજવામાં આવશે. રાજયના 1105 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, આણંદ, સાબરકાંઠાના કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા આપી શકશે.

(7:43 pm IST)