Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

નર્મદા નિગમના મેનેજિંગ ડિરેકટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ આપી ટ્વિટર ઉપર માહિતી

નર્મદા ડેમ ઉપર લગાવેલ એક ગેટ નું વજન ૪૫૦ ટન,૧૫૦ હાથીના વજન બરાબર

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સરદાર સરોવર નર્મદા બંધનું નામ સાંભળતા જ કોઈ પણ વ્યકિત ને તેની વિશાળતા નજરો સમક્ષ આવી જાય આ ડેમ એશિયા ના મોટા ડેમો માં સમાવિષ્ટ છે સરદાર સરોવર નર્મદા ડેમ ની વિશાળતા ને સમજવા માટે નર્મદા નિગમના મેનેજિંગ ડિરેકટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાએ પોતાના ટ્વીટર ઉપર રસપ્રદ માહિતી આપતા જણાવ્યુ છે કે સરદાર સરોવર નર્મદા બંધ ઉપર લગાવેલ ૩૦ ગેટ ની વિશાળતા સમજાવતા દૃષ્ટિકોણ સ્વરૂપે સમઝ આપતા જણાવ્યું છે નર્મદા ડેમ ઉપર લગાવેલ ૩૦ ગેટ પૈકી એક ગેટનું વજન ૪૫૦ ટન છે જે ૧૫૦ હાથી ના વજન બરાબર છે જેથી જોઇએ તો ૩૦ ગેટ નું વજન ૪૫૦૦ હાથી ના વજન બરાબર થાય જે દરવાજા ૩૦ લાખ કયુસેક પાણી પ્રવાહ નું નિયંત્રણ કરે છે જોકે આ રસપ્રદ માહિતી સરદાર સરોવર નર્મદા બંધ ની વિશાળતા દર્ષાવે છે કે ફકત પાણીના નિયંત્રણ માટે ના ગેટ આટલા વિશાળ છે તો સમગ્ર નર્મદા બંધ, તેનું કોંકરિટ બાંધકામ, વીજ ઉત્પાદન યુનિટો , કેનલો નું નેટવર્ક તેમજ વીજ ઉત્પાદન કરતા ટર્બાઇન અને પાણીનો જથ્થો કેટલી વિશાળ માત્રામાં હશે તે અંદાજ લગાવી શકાય છે.

(1:10 pm IST)