Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રાજ્યના ખાણ ખનીજ વિભાગમાં ભૂસ્તરશાસ્ત્રી અધિકારીઓની બદલીનો ઘાણવો

ગાંધીનગરઃ અહીંના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીના તાબા હેઠળ ફરજ બજાવતા ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-૧ના ૩ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા એન.એ. પટેલને છોટા ઉદેપુર ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે સુનિલ પી. ચૌહાણને ગાંધીનગર મુખ્ય કચેરીમાંથી બદલાવી પોરબંદર મુકવામાં આવ્યા છે અને કે.એન. મહાવદીયાની બદલી કચ્છ-ભુજમાંથી ગીર-સોમનાથ જિલ્લામાં કરાઇ છે. આ અંગેનો હુકમ ઉદ્યોગ અને ખાણ વિભાગના નાયબ સચિવ બી.જી. ચૌધરી દ્વારા કરાયો છે.

(5:41 pm IST)