Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અમદાવાદમાં મનપાની ટીમે ગેરકાયદે પાણીના જોડાણ ધરાવતા શખ્સને નોટિસ ફટકારી

અમદાવાદ: શહેરમાં મ્યુનિ. પણ માત્ર પાંચસો રૂપિયામાં ગેરકાયદે પાણીના જોડાણ ધરાવનારાઓને 31 ડીસેમ્બર સુધીમાં અરજી કરવાથી પાણીના જોડાણ કાયદેસર કરી આપવાની જાહેરાત કરી છે.

શહેરમાં હાલની પરિસ્થિતિમાં અંદાજે એક લાખથી પણ વધુની સંખ્યામાં ગેરકાયદેસર પાણીના જોડાણ હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.ચૂંટણીલક્ષી કરવામાં આવેલી જાહેરાતને પગલે ચંડોળા તળાવમાં વર્ષોથી ગેરકાયદે વસવાટ કરતા લોકો પણ યોજનામાં લાભ ખાટશે એમ જાણવા મળ્યું છે.

રાજય સરકાર બાદ મ્યુનિ. હર ઘડી નલ સે જલ યોજના હેઠળ શહેરમાં ગેરકાયદેસર જોડાણ દ્વારા પાણી મેળવતા લોકોને અરજી કરી માત્ર પાંચસો રૂપિયા ફી આપવાથી તેમના પાણીના જોડાણ કાયદેસરના કરી આપવાની જાહેરાત કરી છે.

(6:04 pm IST)