Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સાળાની પત્ની સાથે પતિને થયો પ્રેમઃ નોકરીએ જવાનું કહી બંને ભાગી ગયાઃ ૪૪ દિવસે પાછા આવ્યા

અમદાવાદ,તા.૨૯: આજકાલ લગ્નેત્ત્।ર સંબંધો અને ગુનાખોરીના કેસ વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. જયાં એક પતિને બીજી કોઈ નહીં પણ પોતાના સાળાની પત્ની સાથે જ પ્રેમ થઈ ગયો હતો. જે બાદ તે તેની સાથે લગ્ન કરવા માગતો હોઈ પત્નીને ત્રાસ આપતો હતો. આ દરમિયાન બંને ભાગી ગયા હતા અને ૪૪ દિવસ બાદ દ્યરે પરત ફર્યા હતા. જે બાદ તેઓ માધવપુરા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ મામલે પત્નીની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દૂધેશ્વરમાં આવેલી એક કોલોનીમાં પતિ પત્ની પોતાના સંતાનો અને માતા-પિતા સાથે રહે છે. ૩૦ વર્ષીય મહિલાના લગ્ન ૨૦૧૧માં થયા હતા. લગ્ન બાદ બધુ બરાબર ચાલ્યું, પણ છેલ્લાં ચાર વર્ષથી પતિ પત્નીને નાની અમથી વાતોમાં ત્રાસ આપતો હતો. તે સતત તેની સાથે ઝઘડો કર્યા કરતો. એક દિવસ પત્નીને ખબર પડી કે તેના ભાઈની પત્ની સાથે પતિના આડા સંબંધો બંધાયા છે. એટલે પતિ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હોઈ પત્ની સાથે મારામારી અને ઝદ્યડો કરતો હતો.

પત્નીની ફરિયાદ મુજબ, પતિ વારંવાર તેની સાથે મારઝૂડ કરતો અને તેને દ્યરમાંથી બહાર કાઢી મુકતો. પત્ની જયારે આ વાતની ફરિયાદ પરિવારજનોને કરતી તો તેઓ સમાધાન કરાવી દેતા હતા. તો પતિ તેની પત્નીની ભાભી સાથે ઘર માંડવા માગતો હતો. એટલે યેનકેન પ્રકારે પત્નીને ત્રાસ આપતો. આ દરમિયાન ગત ૧૪ ઓગસ્ટના રોજ પતિ નોકરી જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. મોડી સાંજ થયા બાદ પણ તે ઘરે પરત ફર્યો નહોતો.

બીજી તરફ, મહિલાના ભાઈની પત્ની પણ સવારથી ગુમ હતી. જેની જાણ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. તો પત્નીએ આ મામલાની જાણ માધવપુરા પોલીસ સ્ટેશનમાં કરી હતી.

આ દરમિયાન પતિ અને તેની પ્રેમિકા બહાર ફરતા રહ્યા. અચાનક ગયા રવિવારે જ મહિલાનો પતિ અને તેની ભાભી આવી ચઢ્યા હતા અને માધવપુરા પોલીસ સમક્ષ હાજર થયા હતા.

એ સમયે પતિએ પત્નીને ધમકી પણ આપી હતી. પત્નીના આરોપ મુજબ, પતિએ તેને એવી ધમકી આપી હતી કે, તું છૂટુ કરી નાખ નહીં તો તને જાનથી મારી નાખીશ. આખરે કંટાળીને પત્નીએ પતિ વિરૂદ્ઘ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(9:51 am IST)