Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિધેયક સર્વાનુમતે પસાર કરાવવાનું કૌશલ્ય બતાવતા બ્રિજેશ મેરજા

કૌશલ્ય સાથે શિક્ષણનો સરકારનો અભિગમઃ કૌશલ્યા સ્કીલ યુનિવર્સિટી વિધેયક પસાર

ગાંધીનગર,તા. ૨૯:  ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા વિધેયકો પૈકી 'કૌશલ્યા' સ્કીલ યુનિવર્સીટી વિધેયક, ૨૦૨૧નો પણ વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું.

શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે, હાલના સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોનું રાજયમાં વિશાળ પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે તેમજ આવનાર સમયમાં પણ પ્રગતિશીલ ગુજરાત મૂડી રોકાણમાં દેશનું કેન્દ્ર સ્થાન બનવા જઈ રહ્યું છે. વૈશ્વિક ક્ષેત્રે વિવિધ સેકટરોમાં પણ સતત બદલાતી ટેકનોલોજી અનુરૂપ કુશળ માનવબળની જરૂરીયાત દિવસે દિવસે વધી રહી છે. આવા સંજોગોમાં કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્ત્।ાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખુ તૈયાર કરવા માટે 'કૌશલ્યા'સ્કીલ યુનિવર્સીટીની જરૂરીયાત ઉભી થઈ છે.

આજે વિધાનસભા ખાતે 'કૌશલ્યા' સ્કીલ યુનિવર્સીટી વિધેયક, ૨૦૨૧ રજૂ કરતા મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે કૌશલ્ય ક્ષેત્રે ગુણવત્ત્।ાયુકત તાલીમને વધુને વધુ વેગવંત બનાવવાનો નિર્ધાર કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે કૌશલ્ય વિકાસ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા છે એને આગળ વધારવાના ઉદ્દેશ સાથે રાજયની સ્કીલ ઈકો સિસ્ટમને વધુ સુધ્ઢ કરવાના પ્રયાસો અમે હાથ ધર્યા છે. એટલા માટે જ આ વિધેયક લઇને અમે આવ્યા છીએ.

શ્રમ અને રોજગાર મંત્રી મેરજાએ બીલ ઉપરની ચર્ચામાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ, સ્કીલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે ભારતમાં ૪૦ કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય નિર્ધારીત કરેલ છે. દેશના આમિશનના ઉદ્દેશને સાકારીત કરવા રાજયના યુવાધનને કૌશલ્ય બધ્ધ કરવા મુખ્યમંત્રીના માર્ગદર્શનથી ગુજરાત રાજયના યુવાધનને 'કૌશલ્ય સાથે શિક્ષણ' અને 'દરેક યુવાનને કૌશલ્ય' મળી રહે તે હેતુ માટે અમદાવાદ ખાતે 'કૌશલ્યા' સ્કીલ યુનિવર્સીટીની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવશે જેનું સંપૂર્ણ સંચાલન રાજય સરકાર દ્વારા કરવામાં આવશે.

'કૌશલ્યા' સ્કીલ યુનિવર્સીટી વર્ટીકલ મોબીલીટીના માધ્યમથી સ્કીલ ડેવલપમેન્ટને ઉચ્ચ શિક્ષણ સાથે જોડાણ કરવામાં એક સેતુનું કામ કરશે. જેના થકી રાજયના યુવાધન માટે પ્રગતિના દ્વાર ઉદ્યાડશે તથા કારકિર્દીની નવી તકોનું સર્જન કરશે. 'કૌશલ્ય સાથે શિક્ષણ'ના અભિગમથી રાજયના યુવાનો કૌશલ્યક્ષમ થકી રોજગારક્ષમ બનશે. રાજયમાં આવનાર સમયમાં ઉભી થનાર કુશળ માનવબળની જરૂરીયાતની સાપેક્ષે કુશળ માનવબળ ઉભું કરી શકાશે. પરીણામે ઉદ્યોગોની ઉત્પાદકતામાં વધારો થશે.

તેમણે કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્ત્।ાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખુ તૈયાર થાય તે માટે 'કૌશલ્યા'સ્કીલ યુનિવર્સીટી વિધેયકને રજુ કર્યં હતું.

આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને સી ટુ ડી (સર્ટીફીકેટ ટુ ડિપ્લોમા) તેમજ ડી ટુ ડી (ડિપ્લોમા ટુ ડિગ્રી) થકી મહત્ત્।મ વર્ટીકલ મોબીલીટીના ઉદ્દેશથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આવરી લઈ સ્કીલ ઈન્ડિયા સાથે સ્કીલ ગુજરાત મિશનને સાકાર કરવાનો રાજય સરકારનો અભિગમ વ્યકત કર્યો.

શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું કે ઉદ્યોગોમાં નિરંતર બદલાતી ટેકનોલોજીને અનુરૂપ સ્કીલ ડેવલપમેન્ટના ઉત્પાદન તેમજ સર્વિસ ક્ષેત્રે નવીનત્ત્।મ અભ્યાસક્રમો બનાવી ઉદ્યોગગૃહોની આગામી સમયમાં કુશળ માનવબળની જરૂરિયાતને પૂર્ણ કરશે અને જે માટે સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે જરૂરી રીસર્ચ કરી દેશના પ્રાથમિક, માધ્યમિક અને સર્વિસ સેકટર સાથે સંકળાયેલ ઉદ્યોગના ઉભરતા વિસ્તારો ઓળખી આગામી સમયમાં સ્કીલની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવામાં આવશે.

(1:10 pm IST)