Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

માતર તાલુકાના સીંજીવાડા સીમમાં તારાપુર ચોકડી નજીક ખેતરમાં અગમ્ય કારણોસર યુવકે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર

નડિયાદ : માતર તાલુકાના સીંજીવાડા સીમમાં આવેલ તારાપુર ચોકડી તરફ જતા કેનાલ પાસે આવેલ રાઈસ મિલની બાજુના ખેતરમાં એક યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

માતર તાલુકાના સીંજીવાડા ગામની સીમમાં એક યુવાને આત્મહત્યા કરતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાઇસ મિલની બાજુમાં આવેલા એક ખેતરમાં ગળે ફાંસો ખાઇને યુવકે જીવ ટૂંકાવવાની જાણ થતાં લીંબાસી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ બાબતે પ્રાથમિક તપાસ હાથ ધરીને મરણના કારણ અંગે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે સાંજના છ વાગ્યા સુધી લીંબાસી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ નહીં હોવાનું લીંબાસી પોલીસ મથકના પી.એસ.ઓ. એ જણાવ્યું હતું. મરણ જનારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ દલોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હોવાનું મેડિકલ અધિકારી ડો.બી.કે.મકવાણા એ જણાવ્યુ હતું. વધુમાં તેઓ તામિલનાડુ રાજ્ય ના વતની હતા અને ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા આશરે ૩૫ વર્ષની ઉંમરના હતા.

 

(6:02 pm IST)